આદર્શ ઉચ્ચાલનની રચના, કાર્ય સમજાવીને બળની ચાકમાત્રાનો સિદ્ધાંત સમજાવો.
ઢાળ પરથી એક પદાર્થ સરક્યાં વિના ગબડે છે. તેની ચાકગતિઉર્જા રેખીય ગતિઊર્જાના $50\%$ હોય તો તે પદાર્થ કયો હશે?
બે $0.3\ kg$ અને $0.7\ kg$ દળના પદાર્થને એક $1.4\ m$ લંબાઈની લાકડીના જેનું દળ નહિવત્ત છે તેના છેડે બાંધેલા છે. લાકડીને તેની લંબાઇની લંબ દિશામાં અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. ન્યૂનતમ કાર્યથી લાકડીને ફેરવવા માટે અક્ષ નું સ્થાન ક્યાં હોવું જોઈએ ?
સુરેખ સપાટી પર કોઈ તકતી સરક્યાં વગર ગબડે છે. તો રેખીય ગતિઉર્જા નો કુલ ગતિઉર્જા સાથેનો ગુણોત્તર શું મળે?
આપેલ અક્ષને અનુલક્ષીને શરૂઆતમાં સ્થિર પડેલા પદાર્થની જડત્વની ચાકમાત્રા $1.5\, kg\, m^2$ છે.પદાર્થ પર ભ્રમણીય ગતિઊર્જા $1200\, J$ કરવા માટે તેના પર $20\, rad/s^2$ નો કોણીય પ્રવેગ તેની અક્ષ પર ....... $(\sec)$ સમય સુધી આપવો પડે.
$1\,kg$ દળ અને $R$ ત્રિજ્યયા ઘરાવતી તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ તેવી સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરવા મુક્ત છે. તક્તિ જેટલું દળ ધરાવતી વસ્તુને તક્તિનાં સૌથી ઉપરના છેડા આગળ જોડવામાં આવે છે. હવે આ તંત્રને છોડવામાં આવે છે, જયારે વસ્તુ સૌથી નીચેના છેડે આવે છે ત્યારે કોણીય ઝડપ $4 \sqrt{\frac{x}{3 R}} rad s ^{-1}$ થાય છે.$x$નું મૂલ્ય $.......$ થશે.
$[\left.g =10\,m / s ^{2}\right]$